Khajur Bhai And Lala Ahir Controversy: સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના જાણીતા કલાકાર અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે ઓળખાતા નીતિન જાની (Nitin Jani) ઉર્ફે ‘ખજૂર ભાઈ’ (Khajur Bhai) અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર લાલા આહિર (Lala Ahir) વચ્ચે ચાલી રહેલું શાબ્દિક યુદ્ધ હવે વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સાવરકુંડલા (Savarkundla) ખાતે થયેલી સમાધાન બેઠક બાદ મામલો થાળે પડવાને બદલે વધુ બિચક્યો છે. લાલા આહિરે નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાની (Tarun Jani) પર ગંભીર આક્ષેપો કરતા સોશિયલ મીડિયા પર ગરમાવો આવી ગયો છે.
તાજેતરમાં એક ઓડિયો ક્લિપ અને વીડિયો સામે આવ્યો છે જેમાં નીતિન જાની અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ ચેતવણી આપતા કહી રહ્યા છે કે, આજની તારીખ નોંધી રાખજો, જેણે જેણે મારી પત્તર ઠોકી છે એને સમય બતાવશે. નીતિન જાની (Nitin Jani) ના આ આક્રમક તેવર જોઈને તેમના ચાહકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. તેઓ વીડિયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ખોટી પ્રવૃત્તિ કરનારા લોકો ક્યારેય સુખી નહીં થાય.
સામે પક્ષે લાલા આહિરે (Lala Ahir) એક સનસનાટીભર્યો વીડિયો જાહેર કરીને નીતિન જાની પર પલટવાર કર્યો છે. લાલા આહિરનો દાવો છે કે નીતિન જાની અને તરુણ જાનીના ઈશારે રાત્રિના ૩:૩૦ વાગ્યે તેમની ગેરહાજરીમાં તેમની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. લાલાએ રોષે ભરાઈને કહ્યું કે, “ખજૂર ભાઈ વારંવાર જે તારીખ લખી લેવાનું કહેતા હતા, તેનો અર્થ હવે સમજાયો છે. મોડી રાત્રે ગાડી તોડવી એ મર્દાનગી નથી પણ કાયરતા (Cowardice) છે. જો હિંમત હોય તો દિવસના અજવાળામાં આવીને સામનો કરવો જોઈએ.”
લાલા આહિરે વધુમાં આક્ષેપ કર્યો છે કે નીતિન જાની પોતાના સમાજ પ્રત્યે પણ યોગ્ય વર્તન નથી કરી રહ્યા. તેમણે ‘યુવરાજ’ (Yuvraj) નામના વ્યક્તિનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ તમામ હુમલાઓ નીતિન જાનીના ઈશારે થઈ રહ્યા છે. સેવાના ઓઠા હેઠળ ચાલતા આ વિવાદોએ હવે કાયદાકીય વળાંક લીધો હોય તેવું જણાય છે. હાલમાં આ મામલે સોશિયલ મીડિયા બે જૂથોમાં વહેંચાઈ ગયું છે.
હાલમાં તો બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે. આ મામલે ખજૂર ભાઈ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ સ્પષ્ટતા આવી નથી કે ખરેખર ગાડી તોડવા પાછળ કોણ છે. પરંતુ, આ સોશિયલ મીડિયા વોર હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે સ્પષ્ટ છે.